Monday, June 24, 2019

ગઝલ

◆ સ્નેહશબ્દો ◆

લખવી છે ગઝલ પણ શબ્દો મળતા નથી,
પુષ્પ પ્રેમી ભમરાને કાંટા નડતા નથી.

રસ્તે ખોવાયા છે જૂના સ્મરણો તારા,
શોધું ક્યારનોય પણ તમે જડતાં નથી.

ખીલી વસંત મુજ હૈયાના આંગણે,
પણ પ્રેમ કેરા પુષ્પો પાનખરમાં ખરતા નથી.

રોજ નીકળે છે ઉમ્મીદના કિરણો આંખમાંથી,
પણ વહેલી પરોઢે સોનેરી સૂરજ ઊગતા નથી.

ભલેને નાજુક ને પાતળો રહ્યો જીવનદોર આપણો,
પણ સેવેલા સપના ક્યારેય ઊંઘમાં તૂટતાં નથી.

રહું છું તારા પડખે વીંટળાઈ વેલ બની,
એટલેજ ગોહિલના "સ્નેહશબ્દો" કદી ખૂટતા નથી.

- દિલીપસિંહ ગોહિલ

No comments:

Post a Comment