Thursday, April 4, 2019

ગઝલ

અશ્રુધાર

સાહિત્યથી તરબોળ એ ભાષાને અમે ઝાંખી છે,
છંદ અલંકારથી ભીની એ ગઝલને અમે વાંચી છે.

કોણ કહે છે શબ્દોને વાંચા નથી હોતી દોસ્ત ?
ઇશારાઓથી બોલતી એ ગઝલને અમે વાંચી છે.

પતજરમાં ખીલેલા એ ફૂલોએ મને કહ્યું કે,
ઝાંકળના વિયોગની એ ઘડી અમે સાંખી છે.

શાહી, કલમ, ને કાગળ તો લઈને બેઠા છીએ,
પણ ! હૈયાના શબ્દોની એ વણઝાર અમે માંગી છે.

દુનિયાથી મજબૂર એ આંખોને અમે લૂંછી છે,
આંખોથી છલકતી એ અશ્રુધાર "ગોહિલે" માપી છે.


- દિલીપસિંહ ગોહિલ

No comments:

Post a Comment