અશ્રુધાર
સાહિત્યથી તરબોળ એ ભાષાને અમે ઝાંખી છે,
છંદ અલંકારથી ભીની એ ગઝલને અમે વાંચી છે.
કોણ કહે છે શબ્દોને વાંચા નથી હોતી દોસ્ત ?
ઇશારાઓથી બોલતી એ ગઝલને અમે વાંચી છે.
પતજરમાં ખીલેલા એ ફૂલોએ મને કહ્યું કે,
ઝાંકળના વિયોગની એ ઘડી અમે સાંખી છે.
શાહી, કલમ, ને કાગળ તો લઈને બેઠા છીએ,
પણ ! હૈયાના શબ્દોની એ વણઝાર અમે માંગી છે.
દુનિયાથી મજબૂર એ આંખોને અમે લૂંછી છે,
આંખોથી છલકતી એ અશ્રુધાર "ગોહિલે" માપી છે.
- દિલીપસિંહ ગોહિલ
No comments:
Post a Comment